હું રડું છું એ જ કારણથી હવે ,
હું હસું તો એને કેવું લાગશે ………………..અદી મિર્ઝા
વાંસના પોલાણનું સૈકાઓ જૂનું મૌન છું ,
વાંસળીની જેમ તું વાગી મને ભરમાવ ના ………અશરફ ડબાવાળા
નથી બે ગજ ધરાથી કંઈ વધારે માનવી માટે ,
ખબર છે તો ય એ તરસ્યા કરે શાને ભવન માટે ? ……આતિશ પાલનપુરી
પંખી ક્યાં ? આકાશ ક્યાં ?
પીંછું બસ છે હાથમાં ………..કમલ વોરા
કેવા અજાણ થઈને નિહાળે છે લોક સૌ
કોઈના દુઃખને જયારે સમજવાનું થાય છે ……ગુલામ અબ્બાસ
પાપનાં ને પુણ્યના શું કામ એ કલ્પાંત છે ,
સ્વર્ગની ને નરકની સરખી સજા દેહાંત છે ……….ચિનુ મોદી ‘ઈશાર્દ ‘
તરસથી વધુ જે પીએ આ જન્મમાં ,
બીજા જન્મમાં એ જ ‘ચાતક‘ બને છે ………….દિલીપ રાવળ